Posts

Showing posts from March, 2018

Expectations only!!

Image
Expectations only!!  કોઈને સારું લગાડવા કે આપણનું સારું દેખાડવા માટે દરરોજ કેટલુય લખાઈ છે ફોટા મૂકાઈ છે, વિડીયો મુકાઇ છે, તાત્પર્ય એકજ છે, મનનો સંતોષ પૂરો કરવો.........expectations only!!  આ સોસીયલ મીડિયામાં અજાણ્યા જાણીતા બનતા જાય છે ને જાણીતા અનજાના!!! કોઈ માણસની માણસ પ્રત્યેની લાગણીઓ છે ને એ હવે એક એકાંતવાસ ની જાણે ચાદર ઓઢીને પડી રહ્યું હોઈ એવું લાગે છે, સાવ લાગણીહીન! મદદ કરવાનો દંભ, કોઈને સહાનુભૂતિ આપી પોતાનો સ્વાર્થ પામવો ,લાલચ , દ્વેષ , અવિશ્વાસ, જલ્દી કમાઈ લેવાની માનોઈચ્છા એ માનવીય મનનું પરિવર્તન નથી તો બીજું શું છે???   માનવીય મન ચંચળતો હતુજ પણ, કળિયુગ તો છે જ સાથે મતલબ યુગ પણ ચાલુ છે !થોડીક બચેલીકુચેલી લાગણીઓ ને હવે ના દ્ફ્નાવો તો સારું છે....! -કૌશલ ધામી

History Behind APRIL FOOL.જાણો એપ્રિલ ફૂલ પાછળ નો ઇતિહાસ.--શૈલેષભાઇ સગપરિયા

Image
આજે 1લી એપ્રિલ અર્થાત એપ્રિલ ફુલ ડે. આ એપ્રિલ ફુલ ડે નો એક રસપ્રદ ઇતિહાસ છે જે જાણવાની આપને મજા આવશે. મિત્રો, 1752ના વર્ષના સપ્ટેમ્બર મહીનાનું આ કેલેન્ડર જરા ધ્યાનથી જુઓ. કેલેન્ડર છાપનારાએ મોટો છબરડો કર્યો હોય એમ લાગે છે ને ? 2 તારીખ પછી સીધી 14મી તારીખ જ આવી ગઇ વચ્ચેના 11 દિવસ અદ્રશ્ય થઇ ગયા. આ કોઇ છબરડો નથી પણ એક વાસ્તવિકતા છે અને આ બિલકુલ સાચુ કેલેન્ડર જ છે. ઇંગ્લેન્ડમાં રોમન જુલીયન કેલેન્ડર અમલમાં હતુ. આ કેલેન્ડર વર્ષનો પ્રથમ મહીનો એપ્રિલ હતો અને છેલ્લો મહીનો માર્ચ હતો. 1752ના સપ્ટેમ્બર મહીનામાં ઇંગ્લેન્ડ દ્વારા રોમન જુલીયન કેલેન્ડરને પડતુ મુકીને તત્કાલિન રાજા દ્વારા ગ્રેગેરીયન કેલેન્ડર અપનાવવામાં આવ્યુ જે અત્યારે પણ અમલમાં છે જેનો પ્રથમ મહીનો જાન્યુઆરી અને છેલ્લો મહીનો ડીસેમ્બર છે. હવે આ નવુ કેલેન્ડર અપનાવવામાં એક મોટી તકલીફ એ હતી કે રોમન જુલીયન કેલેન્ડર નવા ગ્રેગેરીયન કેલેન્ડર કરતા 11 દિવસ લાંબુ હતુ આથી ઇંગ્લેન્ડના રાજાએ ઓર્ડર કરીને 11 દિવસ રદ કર્યા અને 2જી તારીખ પછી સીધી જ 14મી તારીખ આવી. 1752ના સપ્ટેમ્બર મહીનામાં બધાએ 11 દિવસ ઓછુ કામ કર્યુ અને તો પણ બધાને પુરા મહીના માટે પગા

આ કવિતા મારા મિત્રો ને સમર્પિત

ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, મારા મિત્રોને તો હૃદયની વચોવચ રાખું છું !! થોડાક સમજું અને વધારે દીવાના છે, મિત્રો મારે થોડાક છે પણ મજાના છે !! મસ્તીને મસ્તી સમજવાવાળા દોસ્તો મળવા, એ પણ એક નસીબની વાત છે સાહેબ !! જિંદગીમાં કોઈ રસ્તો તમને લાંબો નહીં લાગે, જો તમે તમારા સાચા દોસ્ત સાથે ચાલતા હોય !! જિંદગી આપણને સારા દોસ્ત આપે છે, પણ અમુક દોસ્ત જિંદગી સારી બનાવી આપે છે !! સાચા મિત્રો એ જ છે, જેની સાથે બિન્દાસ્ત ગમે તે વાત કરી શકાય !! જો તમે તમારા મિત્રો સાથે ઝઘડતા નથી, તો તમારી મિત્રતા સાચી નથી !! કહે છે લોકો મને કે તારો જમાનો છે, પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !! દ્વારકાવાળો પણ ઘાયલ થાય સાહેબ, જયારે એને સુદામા જેવો દોસ્ત યાદ આવે !! નસીબની ખુબ સારી રેખાઓ મારા હાથે છે, એટલે જ તમારા જેવા મિત્રો મારી પાસે છે !! જો તાજમહેલ પ્રેમનું પ્રતિક છે, તો અડધી ચા દોસ્તીનું પ્રતિક છે !! પ્રેમના સંબંધો કરતા, દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય છે !! જાગું ત્યારથી જલસા ને સુતા ભેગું સુખ, તમારા જેવા મિત્રો હોય પછી શેનું દુઃખ !! દોસ્તી એવા વ્યક્તિ સાથે કરવી, જેનામાં આપણા ક

ખુદ ને ખુદ સાથે મળવાનું રહી ગયું...✍કૌશલ ધામી

Image

સૂર્યની સોબતમાં ઝળહળતા દિવસ ચાલ્યા ગયા..

Image
સૂર્યની સોબતમાં ઝળહળતા દિવસ ચાલ્યા ગયા, સાંજ ટાણે ઘર ભણી વળતા દિવસ ચાલ્યા ગયા. તૂટ્યા ચંપલ હાથમાં લઇ ભરબપોરે દોડતા, બાળતા ચરણોને બળબળતા દિવસ ચાલ્યા ગયા. ગાઢ નિંદર, સ્વપ્ન, પાંપણના તિમિર ભેદી સકળ ઝીણી ઝાકળ જેમ સળવળતા દિવસ ચાલ્યા ગયા. એ હતા પાષાણ કિંતુ રોજ જળના સ્પર્શથી. રાતના દરિયામાં ઓગળતા દિવસ ચાલ્યા ગયા. રાતની તોતીંગ ભીંતો વચ્ચે બેસી એકલા, કાન માંડી ઘરને સાંભળતા દિવસ ચાલ્યા ગયા. – હરકિશન જોષી

વાત મુદ્દાની.

                    ☢સાંભળેલી વાત.................કૌશલ ધામી .. આજે એક ભાઈ એટલે કે પપ્પાના મિત્ર ઘરે આવ્યા.સ્વભાવે ખુબજ સારા,થોડું ઓછુ ભણેલા પણ કોઠાસુજવાળા,ભણતર ના આગ્રહી ,એનો એક છોકરો એમ.બી.બી.એસ. કરે અને એક છોકરી યુ.પી.એસ.સી. પરીક્ષાની જોમ થી તૈયારી કરે......વાત વાત માં વાત નીકળી અને હું સંભાળતો તો કે પત્થર ની શું પૂજા કરવી ??મંદિર શું જવું ??પત્થર પુજવાથી થોળા ભગવાન મળવાના !! એને કીધું કે હું મંદિરે જતો જ નથી પણ હું નાસ્તિક નથી ..હા મંદિરે જાવ પણ સારું હોઈ તો એની કોતરણી જોવા કે સારો બગીચો બનાવેલો હોઈ તો ..બાકી પૂજા કરવા નય.....એને એમ પણ ઉમેર્યું કે હું કોઈ ધર્મ નો વિરોધી નથી પણ "ધર્મ ના નામે જે ધતિંગ ચાલે છે એનો હું વિરોધી છુ " ------------------------------------------------------------------------------------ હવે આના પર મારા વિચાર....(હું કોઈ ધર્મનો વિરોધી નથી ) 'જો ભારતની અંદર દિવસે ને દિવસે જેટલા મંદિર બંધાય છે એના ૧૦%પણ જો સારી લેબોરેટરી ,શાળાઓની સુવિધા ,રીસર્ચ સેન્ટરો ,બન્યા હોત તો આંજે આજનું ભારત બદલાયેલું હોત ..ભારતના નાગરિકોને ફોરેન દેશ માં જવું ના પ